Monday, June 14, 2010

રત્ન કણિકા

રત્ન કણિકા
એટલાકડવાનાબનોજેથીલોકોથૂંકીનાખે,
એટલામીઠાનાબનોજેથીલોકોચાવીનાખે!
સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!

લાકડાનો
અગ્નિલાકડાનેબળેછે ,
તેમદેહમાનોઅગ્નિદેહનેબાળેછે!

આજના સુરજને આવતી કાલનાં વાદળપાછળ છૂપાવવો તેનું નામ ચિંતા!

સ્વતંત્ર
થાઓ પણ સ્વછંદી ના થાઓ ,
કરકસર કરો પણ કંજુસાઈ ના કરો,
ઉદાર બનો પણ ઉડાઉ ના બનો,
નમ્ર બનો પણ નમાલા ના બનો!
કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!
સ્વ
માટે પ્રાથીએ તે તો માત્ર યાચના છે,
સૌ
માટે યાચીએ તે સાચી પ્રાર્થના છે!
તેથી જ તો
પ્રાર્થના આત્માનો ખોરાક છે! 
નમ્રતા
વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!
જેની
આંખોમાં અમી તેને દુનિયા ગમી,
જેની
વાણીમાં અમી તેને દુનિયા નમી!
જીવનનો આધાર વાણી અને પાણી પર છે!

ઉપવાસ
તૂટે તો વાંધો નહિ ,
કોઈનું
દિલ ના તૂટવું જોઈએ!
માણસ
જન્મે ત્યારે ઝભલાને ખીંસુ નથી હોતું,
માણસ
મરે ત્યારે કફનને ખીંસુ નથી હોતું!
અનુભવ મેળવવા કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!
સાચી સુંદરતા હૃદયની આંખો દ્વારા જોઈ શકાય છે!
સાચી
સુંદરતા કોમળમાં છે અને કોમળતા અલંકારને વહી સકતી નથી!
ક્ષમા આપવી સારી બાબત છે પણ,
તેને
ભૂલી જવું તેનાથી વધુ સારી વાત છે!
શરમ કરતા ભાઈબંધી વધારે કીમતી છે,
તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો જોઈએ!

જીવન
છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે!
જીવનના
મુખ્ય ચાર સુખ છે:
પહેલું
સુખ જાતે નર્યા,
બીજું
સુખ ઘેર સંતાન,
ત્રીજું
સુખ કોઠીએ જાર,
ચોથું
સુખ સુલક્ષણl નાર!
દુખના બે પ્રકાર છે:
એક કર્મ
અનુસારનું આવી પડતું દુખ અને
બીજું બીજાના સુખની સરખામણીથી થતું દુખ!
જાગતાની સાથે મરણનું સ્મરણ કરો
જીવનનું
મહત્વ સમજાશે!
મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે,
ફૂલડાં
ડૂબી જતાને પથરા તારી જાય છે!
છે
ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહયલું
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!
ગરીબો શ્રીમંતોની નફરત કરતા હોય છે,
તેમ
છતાં તે શ્રીમંત બનવા પ્રયત્ન કરતા હોય છે!
તિલક કરતા ત્રેપન ગયા, જપમાલાના નાકા ગયા,
ચાલી
ચાલી થાક્યા ચર તોય ના પહોંચ્યા હરિના શરણ
                                              - અજ્ઞાત

No comments:

Post a Comment